ગુજરાતમાં હવે સરકારી સેવાઓ મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર ધીમે ધીમે ઘટવાની છે. રાજ્ય સરકારે ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ અને નાગરિક કેન્દ્રિત બનાવવાના મહત્વાકાંક્ષી પ્રયાસ રૂપે Meta Platforms Inc. સાથે મહત્વપૂર્ણ MoU કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ કરાર થયો હતો, જેના દ્વારા આગામી સમયમાં વોટ્સએપ આધારિત ચેટબોટ મારફતે નાગરિકોને સરકારી સેવાઓ […]
Author: JKJGS
અપહરણ અને પોક્સોના કેસમાં ભોગ બનનાર સગીરાને જલગાંવના જંગલમાંથી હેમખેમ શોધી કાઢી
ગાંધીનગર ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે અપહરણ અને પોક્સોના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી તેને ભગાડી જનાર આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાની ભાળ મેળવવા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં […]
દહેગામ ITIમાં 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારના ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થામાં વિદ્યાર્થીઓ 23 જૂન, 2026 સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકશે. દહેગામ સરકારી ITI ખાતે હાલમાં કુલ 10 જેટલા વિવિધ ટેકનિકલ અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો […]
અમિત શાહ 27થી 29મે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 27, 28 અને 29મે દરમિયાન તેઓ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરશે. ગૃહમંત્રીના પ્રવાસને લઈને રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. અમદાવાદમાં વિકાસકાર્યોની સમીક્ષા કરશે 28મેના રોજ અમદાવાદ ખાતે ગૃહમંત્રી શહેરના વિકાસકાર્યોની […]
આફ્રિકામાં ઈબોલાનો ખતરો, ગુજરાત એલર્ટ મોડમાં
આફ્રિકાના કેટલાક દેશોમાં ફરી એકવાર ઈબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકાર સતર્ક બની છે. કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઈબોલાના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની તૈયારીઓ અને આગોતરા આયોજનની સમીક્ષા કરવામાં આવી. ઈન્ટરનેશનલ […]
રાહુલ ગાંધીને શંકરસિંહ વાઘેલાનો સંદેશ, “મારે કશું જ નથી જોઈતું, માત્ર ભાજપ સામે મજબૂત લડત જોઈએ” : વાઘેલા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસ અને ભાજપ સામેની રાજકીય લડત અંગે મોટું નિવેદન આપ્યું છે. વાઘેલાએ જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી ને સ્પષ્ટ સંદેશ મોકલાવ્યો છે કે ભાજપ સામે અસરકારક લડત માટે કોંગ્રેસે સંગઠન અને વ્યૂહરચનામાં મોટો બદલાવ લાવવો પડશે. ભાજપને હટાવવી હોય તો મારી ડિઝાઈન પ્રમાણે કામ કરો વાઘેલાએ કહ્યું કે, “મેં […]
આધેડની હત્યા બાદ આરોપીઓના ઘર આસપાસ ઘર અને વાહનો સળગાવાયા
શહેરના રાજીવનગરમાં થોડા દિવસ અગાઉ આધેડની કેટલાક શખ્સોએ જાહેરમાં હત્યા કરી હતી.આ હત્યાના આક્રોશમાં આવીને મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર પાસે તોડફોડ કરી હતી. ત્યારે આરોપીના પડોશમાં રહેતા એક વ્યક્તિની કોઈ રિક્ષા સળગાવી દીધી છે. જ્યારે એક વ્યક્તિનું મકાન સળગાવી દીધું છે. જે અંગે સેટેલાઇટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘર […]
કિન્નર ગુરુમાં બની વિધિના નામે પૈસા પડાવનાર ગેંગનો મુખ્ય આરોપી દબોચાયો
ઇન્સ્ટાગ્રામ પર રિલેશનશીપ ગુરુ અને કિન્નર ગુરૂમાની ઓળખ આપીને વિધીના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. આરોપી લોકો પાસેથી વિધીના બહાને પૈસા પડાવતો તથા ન્યૂડ કોલ રેકોર્ડ કરીને બ્લેકમેઈલિંગ કરીને પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ અલગ અલગ લોકોને ભોગ બનાવીને કુલ 60 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું […]
માણાવદરના દગડના તળાવની 6.50 કરોડના ખર્ચે કાયાપલટ : પાણી સંગ્રહ શક્તિમાં 5 ગણો વધારો થશે
માણાવદર તાલુકાના દગડ ગામ નજીક આવેલા દગડ અને જાંબુડા તળાવના રિસ્ટોરેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 6.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજના પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ શક્તિમાં પાંચ ગણો વધારો થશે, જેનો લાભ આસપાસના અનેક ગામોને મળશે. 1980-90ના દાયકામાં નિર્મિત આ તળાવોની મૂળ સંગ્રહ ક્ષમતા અંદાજે 10 MCFT હતી. […]
ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે 9 દિવસ બંધ
આ કામગીરીના ભાગરૂપે ગિરનાર રોપ-વે સેવા આગામી 2 જૂનથી 10 જૂન 2026 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ બંધ રહેશે, જેના કારણે શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સંચાલકોએ જણાવ્યું હતું કે સુરક્ષા જાળવી રાખવા માટે આ ટેકનિકલ તપાસ અત્યંત આવશ્યક છે. […]










