Gujarat

બોડેલી પોલીસે ‘સાયકલ ઓન સન્ડે’ રેલી યોજી

બોડેલી પોલીસે ‘ફિટ ઇન્ડિયા મિશન પ્રોજેક્ટ’ અંતર્ગત ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બોડેલીમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અભિયાનને વેગ આપવા માટે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસે પણ એક સાયકલ રેલી યોજી હતી, જેમાં […]

Gujarat

તુરખેડા પાસે નર્મદા નદીમાંથી રૂ. 5.75 લાખનો દારૂ ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા LCBએ તુરખેડા નજીક નર્મદા નદીમાંથી નાવડી દ્વારા લઈ જવાતો રૂ. 5,75,558/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 6,80,558/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે વધુ એક […]

Gujarat

કંસારી ટોલ નાકે પ્રોફેસર સહિત 2 MD ડ્રગ્સ સાથે ઝડપાયા

બનાસકાંઠા SOGએ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) કંસારી ટોલ નાકા નજીકથી 5.78 લાખના મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી ઉચ્ચ શિક્ષિત છે, જે LLB અને MPhilની ડિગ્રી ધરાવે છે. તેમજ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યો છે. પોલીસે આરોપી જોગેશકુમાર મહેશકુમાર ઠાકોર અને સાહિલ પ્રવીણ પ્રવીણભાઈ વાઘેલા […]

Gujarat

બનાસકાંઠા LCBએ જુગાર રમતા પાંચ શખશ ઝડપ્યા

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડીસા તાલુકાના ઝેરડા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડા ₹16,330 અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹21,830 જપ્ત કર્યો છે. LCB દ્વારા દારૂ અને જુગારબંધી માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમોનું ગઠન […]

Gujarat

અંબાજીમાં 72 કડવા પાટીદાર સમાજનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ

અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કડવા પાટીદાર સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા. સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશ આપવા માટે 55 જેટલી લક્ઝરી બસોમાં ભક્તો અંબાજી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં 3180 થી વધુ મહિલાઓ અને 400 થી વધુ સ્વયંસેવક ભાઈઓ ઉત્સાહભેર […]

Gujarat

પર્યાવરણ દિવસે જ વઢવાણા તળાવમાંથી આઠ મોટા વૃક્ષો લાકડા ચોરો કાપી ગયા

વિશ્વભરમાં 5મી જૂનને ‘વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે. પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વઢવાણા તળાવ ખાતે આ જ દિવસે પર્યાવરણના લીરેલીરા ઉડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડા ચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રયસ્થાન સમાન 8 જેટલા […]

Gujarat

માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની આજે પ્રાર્થનાસભા

વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ સમગ્ર રાજ્ય અને શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ લોકનેતાના આત્માની શાંતિ અર્થે આજે (7 જૂન) સાંજે વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોકસભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સ્વ. યોગેશ પટેલ […]

Gujarat

સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટ

સોમનાથ ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે અખિલ ગુજરાત ટીમ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 5 થી 7 જૂન, 2026 દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 160 પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો ભાગ લેશે. આયોજન અંધ સર્વોદય મંડળ રાજકોટ અને જી.સી.એ.વી.સી. દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરાયું છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ દૃષ્ટિહીન વ્યક્તિઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને તેમને […]

Gujarat

મોરારી બાપુએ તુલસીશ્યામથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

મોરારી બાપુએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામ તીર્થધામ ખાતેથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે યાત્રિકો, પ્રવાસીઓ અને ભાવિકોને પ્રકૃતિનું જતન કરવા નમ્ર અપીલ કરી હતી. બાપુએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન કરવું એ દરેક માનવીની નૈતિક ફરજ છે. જંગલો, વૃક્ષો અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરીને જ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું […]

Gujarat

ગીર-સોમનાથ જિલ્લાના 5 ડેમોમાં 31 જુલાઈ સુધીનો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેમોમા આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને જિલ્લાની 3 ગેટેડ યોજનામાં મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે. કાળાવદરા એ જણાવ્યું હતું કે હિરણ 1 ( કમલેશ્વર ) ડેમમાં 36.90 ટકા, હિરણ 2 […]