જામનગર તાલુકાના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયા (દાડા)ના પ્રસંગે પારિવારિક ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક ગર્ભવતી પરિણીતા, તેમના પતિ અને જેઠને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આખો બનાવ શું છે? પોલીસ ફરિયાદ મુજબ, ઠેબા ગામમાં રહેતી 34 વર્ષીય ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા ગર્ભવતી છે. તેમણે […]
India
જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સર્ચ ઓપરેશન
વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીને પગલે ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવી અત્યંત આવશ્યક બની છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવા તેમજ દેશદ્રોહી, આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, કોઈપણ […]
PM મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની જામનગરમાં ઉજવણી
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે 8 થી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું કે, આ ઉજવણી અંતર્ગત ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાશે. જેમાં ‘પ્રગતિ પથ […]
કલોલના કોઠા ગામ પાસે SMCનો ફિલ્મી ઢબે પીછો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પૂર્વ બાતમીના આધારે રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ ભરીને જતી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસથી બચવાના ચક્કરમાં બુટલેગરે કાર પરથી કાબૂ ગુમાવતા તે રોડ નીચે ઉતરીને ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ SMCએ ₹5.12 લાખના વિદેશી દારૂ અને બિયરના […]
ચિલોડામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ
ગાંધીનગર જિલ્લા આયુર્વેદ શાખા અને સરકારી હોમિયોપેથીક દવાખાનું, ચિલોડા દ્વારા એક વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરકારી હોમિયોપેથીક દવાખાનું, ચિલોડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન દિલીપસિંહ ઠાકોર, ચિલોડાના સરપંચ અસ્મિતાબેન કલ્પેશભાઈ પટેલ, ચિલોડા તાલુકા સદસ્ય વર્ષાબેન સુનિલભાઈ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. મમતાબેન […]
ગાંધીનગરમાં 8 થી 20 જૂન વિકાસયાત્રા અને જનકલ્યાણના કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર પણ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારીના ભાગરૂપે કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી.જેમાં આગામી 8 થી 21 જૂન સુધીના આયોજનને આખરી ઓપ આપવામાં […]
દહેગામમાં જળ-આપત્તિ સામે ફાયર વિભાગ અને 108 દ્વારા મોકડ્રિલ યોજાઈ
ચોમાસાના આગમન પૂર્વે સંભવિત પૂર, ભારે વરસાદ કે જળ-આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે દહેગામ ખાતે ફાયર વિભાગ અને 108 ઈમરજન્સી સેવા દ્વારા સંયુક્ત રીતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ ખાતે યોજાયેલી આ ખાસ કામગીરીનો મુખ્ય હેતુ આપત્તિના સમયે ટીમોની સજ્જતા ચકાસવાનો અને પ્રતિભાવ સમય (રિસ્પોન્સ ટાઈમ) ઘટાડવાનો હતો. મોકડ્રિલ દરમિયાન, ફાયર અને ઈમરજન્સી ટીમોએ […]
અંબાજી હેલિપેડ પર જન્મદિવસ ઉજવનારા 7 આરોપીઓની ધરપકડ
અંબાજી પોલીસે ચીખલા હેલિપેડ પર ગેરકાયદેસર રીતે જન્મદિવસ ઉજવી વીડિયો બનાવનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરી છે. આ ગુનામાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 1 જૂનના રોજ બુટલેગર અને અન્ય તત્ત્વોએ ચીખલા હેલિપેડ ખાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ […]
વેરાવળ કોસ્ટ ગાર્ડનું વૃક્ષારોપણ અભિયાન: 200 છોડ વાવ્યા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, વેરાવળ દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરાયું હતું. વેરાવળના કોસ્ટ ગાર્ડ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ, ઇનાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 200 છોડનું વાવેતર કરવામાં આવ્યું. આ અભિયાનમાં ભારતીય કોસ્ટ ગાર્ડના આશરે 200 કર્મચારીઓ અને વિવિધ વિભાગોના મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયત અધ્યક્ષ દ્વારકાદાસ દોમડિયા […]
પહેલા જ દિવસે પાંજરામાં ફસાયો, ગ્રામજનો અને વન વિભાગે રાહત અનુભવી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભય ફેલાવનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. દીપડો પકડાતા સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ, વેલણ નજીકના વિસ્તારોમાં દીપડાની સતત અવરજવર જોવા મળતી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આથી […]










