જામનગર શહેરના ભાગોળે આવેલા હોલી ડે રીસોર્ટમાં આજે સાંજના સમયે 7 વર્ષનો બાળકનો સ્વિમીંગ પુલમાં ડુબી જવાથી મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બાળક વેકેશનમાં ઘરે આવ્યો હતો. હાપામાં રહેતા હર્ષ કિરીટભાઈ પરમાર (ઉ.વ.7) નામનો બાળક તેમના પરિવારજનો તેમજ સોસાયટીના લોકો મળીને 15થી 20 જેટલા લોકો શહેરના ભાગોળે જાંબુડા પાસે આવેલા હોલીડે રીસોર્ટમાં ગયા […]
India
જામનગરમાં નેત્રાની ITMS સિસ્ટમે ભાંડો ફોડ્યો, ટુ-વ્હીલરની ડેકીમાંથી મૂળ HSRP નંબર પ્લેટ હાથ લાગી
જામનગરમાં ટ્રાફિક પોલીસે એક યુવકને ખોટી નંબર પ્લેટ સાથે એક્ટિવા ચલાવવા બદલ ઝડપી પાડ્યો છે. યુવકે પોતાના એક્ટિવા સ્કૂટર પર બુલેટ મોટરસાઈકલનો નંબર લગાવી કાયદાનો ભંગ કર્યો હતો. આ છેતરપિંડીનો પર્દાફાશ ITMS સિસ્ટમ દ્વારા થયો હતો. રોયલ એનફિલ્ડનો નંબર ખૂલ્યો ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ નોંઘુભા વાળાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (Netra) તરફથી આ […]
લાલપુરમાં ITI ખાતે વૃક્ષારોપણ કરાયું
લાલપુર શહેરમાં તાલુકા ભાજપ પરિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આઈ.ટી.આઈ. ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોએ વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, […]
DDO નિશા ચૌધરીએ વાંસજાળીયા ગામે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સમયસર પહોંચે અને વિકાસના કાર્યો ગુણવત્તાસભર થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આ અંતર્ગત જામનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) નિશા ચૌધરીએ જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. DDO નિશા ચૌધરીએ વાંસજાળીયા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તેમજ આંગણવાડી કેન્દ્રની […]
નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
૦૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌપ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું રાજ્ય મંત્રીશ્રી, ઉચ્ચ પદાધિકારીશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓશ્રી અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૦૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ મા કે […]
અમદાવાદના નરોડા GIDCમાં ફેઝ-૩માં આવેલ કેમિકલ ફેક્ટરીના બોઈલરમાં બ્લાસ્ટ બાદ આગ, ૪ ઈજાગ્રસ્ત
શહેરના નરોડા GIDC ફેઝ-૩ માં અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જાેતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ‘ જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટના મામલે પ્રાથમિક […]
અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી કરોડોની લુંટ કરનાર દંપતીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું
સામાન્ય લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર ઠગ દંપતી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયું છે, મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા મહાઠગ અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ […]
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
ઉમરગામ તાલુકામાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્યપાલશ્રી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની સાદગી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉમરગામ તાલુકામાં આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ‘માં સહભાગી થવા માટે તેમણે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ચરિતાર્થ કરતા રાજ્યપાલશ્રીએ […]
અમદાવાના મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે ઓર્ડર કર્યો વેજ બર્ગરનો, મળ્યુ નોનવેજ બર્ગર
શહેરના બોપલ વિસ્તારમાં આવેલ મેક ડોનાલ્ડમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે ગંભીર સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી ‘મેકડોનાલ્ડ્સ‘ ની બ્રાન્ચ દ્વારા એક શાકાહારી ગ્રાહકને ઓનલાઈન ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ ચિકન/નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો. શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી […]
જામનગરમાં 14 સ્થળોએ ‘વન કવચ’ વિકસાવાયા
“વન કવચ” ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે. તેનો મુખ્ય હેતુ રાજ્યમાં હરિયાળું આવરણ વધારવું, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું અને આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી સુરક્ષા કવચ ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ મિયાવાકી સહિતની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછી જગ્યામાં વધુ ગીચ અને ઝડપથી વિકસતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વન કવચમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર […]










