અજાણ્યા શખસોએ ગાયોને વાડામાંથી ચોરી ખેતરમાં લઈ જઈ રહેંસી નાખી; અવશેષો મળતા પશુપાલકોમાં રોષ કલોલ તાલુકાના નારદીપુર ગામમાં પશુ પ્રત્યેની અત્યંત ક્રૂરતાની હચમચાવનારી ઘટના સામે આવી છે. અત્રેના ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ ગાયોની ચોરી કરી તીક્ષ્ણ હથિયારો વડે તેની કતલ કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે હ્લજીન્ […]
India
LRD ની ૧૪ જૂને લેખિત પરીક્ષા: શારીરિક કસોટીમાં ૨.૬૩ લાખ ઉમેદવારો પાસ
ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬થી રાજ્યના ૧૫ કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જાેઈ શકે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-૩ સંવર્ગ હેઠળ […]
અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન આજે સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફરો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. […]
અમદાવાદના વેપારીઓ પાસેથી મોટાપાયે કાપડ ખરીદી પૈસા ન ચૂકવ્યાં
અમદાવાદની અલગ-અલગ કાપડની કંપનીઓ પાસેથી નવી દિલ્હીના બે વેપારીએ મોટા પાયે કાપડ ખરીદીને કુલ રૂ. 4.62 કરોડની રકમ ન ચૂકવીને છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતો મળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં આવેલા એલ.પી. હાઉસ, શ્રેયસ કોલોની ખાતે કાર્યરત ‘એલ બી ટેક્ષ પ્રા. લી.’ નામની […]
આર્મીમાં મોકલેલા ભાણેજે શપથવિધિમાં મામાને ન બોલાવતા દુઃખમાં ફીનાઈલ પીધું
ગાંધી વસાહત સોસાયટીમાં રહેતી ક્રિષ્ના હર્ષદભાઈ રાઠોડ (ઉ.વ.29) નામની યુવતીએ ગઈકાલે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ક્રિષ્ના પેડક રોડ પર આવેલી જવાહર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી અને સાથે જ ઘરે બાળકોને ટ્યુશન પણ કરાવે છે. ક્રિષ્ના પરિવારના સભ્યોને વારંવાર “મને ગમતું નથી” તેમ કહી […]
એઈમ્સના ઈન્ટર્ન ડોક્ટરના આપઘાત કેસમાં 5 આરોપીને જામીન
રાજકોટના જામનગર રોડ પરની એઈમ્સના ઈન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલે ગત 14 માર્ચ, 2026ના રોજ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેલી સ્યુસાઇડ નોટ આધારે આપઘાત કરવા મજબુર કરવા કલમ હેઠળ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં એઇમ્સના જ અન્ય 5 વિદ્યાર્થી સામે ગુનો નોંધી પોલીસે 5 આરોપીઓને ઝડપી […]
SVM શાળામાં ફી વધારા મુદ્દે NSUIની રજૂઆત
જામનગરની એસવીએમ શાળામાં ફી વધારા અને અન્ય ગેરરીતિઓ સામે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. NSUIના જણાવ્યા અનુસાર, શાળા દ્વારા નર્સરીથી ધોરણ 10 સુધીમાં સરેરાશ 35 થી 45 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારા માટે કોઈ […]
આર.બી. સ્કૂલમાં ‘પરિવારોત્સવ’ – 2026 કાર્યક્રમ સંપન્ન થયો.
. આર.બી. સ્કૂલમાં ‘પરિવારોત્સવ’ – 2026 કાર્યક્રમ સંપન્ન થયો. આર.બી. સ્કૂલમાં બાળકો ,વાલીગણ તેમજ શિક્ષકગણની સંવેદનાની અનુભૂતિ માટે ‘પરિવારોત્સવ’ – 2026 નુ આયોજન તારીખ 29/3/ 2026 ને રવિવારના રોજ આર.બી. સ્કૂલ, રિંગ રોડ – 2, એસ.આર.પી. કેમ્પ સામે ,વર્ધમાન નગર, ઘંટેશ્વર મુકામે સવારના 8:30 થી 11: 00 સમય દરમિયાન કરવામાં આવેલ. તેમજ આર.બી. સ્કૂલના […]
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE) નો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું હતું કે, માનવ અને અન્ય જીવો વચ્ચેનો ભેદ માત્ર શિક્ષણ જ સ્પષ્ટ કરી શકે છે ગર્ભાધાનથી અંતિમ સંસ્કાર સુધીની ૧૬ સંસ્કારોની પરંપરા સાથે શિક્ષણનો સમન્વય બાળકને મહામાનવ બનાવે છે* શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, નવસ્નાતકોને રાષ્ટ્ર નિર્માણના શિલ્પી બનવા આહ્વાન, શિક્ષક એ માત્ર વ્યવસાય નહીં, રાષ્ટ્ર નિર્માણનો પવિત્ર […]
આગામી ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત
સુરત ખાતે યોજાનારી ફય્ઇઝ્રમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૬ જિલ્લાઓને આવરી લેવામાં આવશે રસાયણ, ટેક્સટાઇલ, ગ્રીન એનર્જી અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ફોકસ ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા પ્રાદેશિક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ […]










