* મુખ્યમંત્રીશ્રીએ દાદાના આશીર્વાદ લીધા અને રથનું પૂજન કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી * ગજરાજ, ઊંટગાડી, વિશાળ ગદા, ટ્રક ઉપરાંત ‘ઑપરેશન સિંદૂર’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ […]
India
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ અને દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો એનાયત કરાયા
ખેતી બેંક દ્વારા દરેક લોન લેનાર ખેડૂત પરિવારને રૂ. ૧૧ લાખ સુધીના અકસ્માત વીમાનું કવચ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ.-ખેતી બેંક, અમદાવાદના ખેડૂત લાભાર્થીઓના વારસદારોને ગાંધીનગર ખાતેથી અકસ્માત વીમા સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ […]
જૂનાગઢ ભવનાથ રોડ પર વાહન ચાલકોના શ્વાસ અદ્ધર
લાઈટો-ઘોંઘાટથી ગભરાયેલા સાવજ દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં ભાગ્યા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં (૩૧ માર્ચ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જાેવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર ૭ સેકન્ડમાં […]
મનપા કમિશનર એક્શન મોડમાં:ગંગાજળિયા તળાવ, મહિલા બાગ અને બિઝનેસ સેન્ટર સહિતના સ્થળોએ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓને ગંભીરતાથી લેતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીના દ્વારા આજે શહેરના વિવિધ જાહેર સ્થળો પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, કમિશનરે ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટર અને મહિલા બાગ જેવા વિસ્તારોની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી, ગંદકીના થર જાેઈ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી ભાવનગરનું હૃદય […]
અમદાવાદમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી
અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ-બહેને ઝેરી દવા પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બંને ભાઈ-બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં […]
ચૂંટણી જાહેરાત પહેલાં મ્ત્નઁના પૂર્વ કોર્પોરેટર સામે નાગરિકોનો રોષ
આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ હતી. પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનોએ મતદારો સાથે ઉગ્ર બોલચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં […]
જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ
બેચરાજીમાં મેળાની ભડી વચ્ચે બજારમાં પશુઓ લઈને નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદ યાત્રાધામ બહુચરાજીમાં આગામી ૩૧ માર્ચથી ૨ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું […]
સાંથલ પોલીસની સરાહનીય પહેલ, મરતોલી ચેહર માતાએ પગપાળા જતા યાત્રાળુઓને સુરક્ષા કવચ
ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી પગપાળા યાત્રીઓને રિફ્લેક્ટર બેલ્ટ અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચૈત્રી પૂનમ નિમિત્તે હજારોની […]
ભાજપ જિલ્લા કાર્યાલય પર આવતીકાલથી બે દિવસ સેન્સ પ્રક્રિયા, દાવેદારોની પેનલ પ્રદેશ કક્ષાએ મોકલાશે
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આવતીકાલે (૨ એપ્રિલ) ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પહેલા આજે (૧ એપ્રિલ) રાધનપુર રોડ પર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસ પરથી દાવેદારી માટેના ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, […]
વડનગરમાં ૨૫ કરોડના ખર્ચે તૈયાર થયો ભવ્ય ‘વોટર લેઝર શો
ઐતિહાસિક નગરી વડનગરના પ્રવાસીઓ માટે હવે એક નવું નજરાણું ઉમેરાયું છે, જેમાં દરરોજ સાંજે ૭:૩૦ કલાકે શર્મિષ્ઠા તળાવના કિનારે ૩૦ મિનિટનો ભવ્ય ‘વોટર લેઝર શો‘ યોજાશે. આ શોમાં ટુ-ડી અને થ્રી-ડી ટેકનોલોજીના માધ્યમથી વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ, શર્મિષ્ઠા તળાવની ગાથા અને પ્રાચીન વારસાની રજૂઆત કરવામાં આવશે. જેમાં કીર્તિતોરણ, મ્યુઝિયમ અને પ્રાચીન મંદિરો જેવા સ્થાપત્યોનું ડિજિટલ નિદર્શન […]










