બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત નવા દેલવાડા પાસે આઈશર ચાલકે 8 પદયાત્રીઓને અડફેટે લીધા; 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેસાણા જિલ્લામાં અવારનવાર બનતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો ઉમેરો થયો છે. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈશર ચાલકે […]
India
સોમનાથ રહેણાક વિસ્તારમાં દીપડો દેખાયો – વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી પકડવાની કામગીરી શરૂ કરી
સોમનાથની વેણેશ્વર સોસાયટી નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સોમનાથ ટ્રસ્ટના કર્મચારી જીગ્નેશ ભટ્ટે સાંજે લગભગ 4 વાગ્યે દીપડાને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે બે કલાકના ગાળામાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું […]
ઘોઘંબાના લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી, ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના લિસ્ટેડ બુટલેગર વિનોદ દોલતભાઈ બારીઆને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વિનોદ બારીઆ, જે ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ભગત ફળિયાનો રહેવાસી છે, તેની સામે રાજગઢ અને કાલોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની […]
પંચમહાલમાં 23 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પંચમહાલ જિલ્લામાં તા. 23 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો, અરજદારો અને પ્રજાજનો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજીઓ તા. 10 એપ્રિલ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદારોએ પોતાના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ […]
સુરત જિલ્લામાં 22.83 કરોડના વિકાસકામો મંજૂર
સુરત જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટેના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ વિવિધ જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આયોજન મંડળ દ્વારા નિર્ધારિત 2250 લાખની જોગવાઈ સામે કુલ 2283 લાખના ખર્ચે 742 જેટલા જનહિતલક્ષી વિકાસ કામોને […]
રાજકોટમાં મારે બીજી પત્ની કરવી છે’ કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી ફટકારી
રાજકોટ શહેર નજીક જીયાણા ગામમાં ફોન ન ઉપાડવા બાબતે ઝઘડો કરી મારે બીજી પત્ની કરવી છે તેમ કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી માર મારી હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. બનાવ અંગે કુવાડવા પોલીસમાં મહિલાના ભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ નજીક જીયાણા ગામે રહેતા દીપકભાઈ જેસીંગભાઇ જખાણીયા (ઉં.વ.35)એ કુવાડવા પોલીસ […]
જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી
જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ‘ભાજપાપ’ શીર્ષક હેઠળ ચાર્જશીટ રજૂ કરી છે. કોંગ્રેસે મહાનગરપાલિકામાં ભાજપના 20 વર્ષના કુશાસનનો આક્ષેપ કર્યો છે, જેના કારણે આગામી મનપા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જામનગર પ્રભારી લલિત વસોયાએ જણાવ્યું કે, મનપાના કચરાથી માંડીને તમામ કોન્ટ્રાક્ટમાં ભાજપની સંગઠન પાંખ 40 ટકા કમિશન ઉઘરાવી રહી છે. તેમણે ભાજપ […]
જામ્યુકોને મિલકત વેરાની 5.57 કરોડ સહિત 1 જ દિવસમાં રેકર્ડબ્રેક 6.35 કરોડ વેરાની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી માતબર મિલકત વેરા અને પાણી વેરાની વસુલાત માટે દોઢેક માસથી 100 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહયો છે.જેમાં સોમવારે એક જ દિવસમાં મનપાને રાત્રી સુધીમાં બાકી મિલ્કત વેરા પેટે 5.57 કરોડ અને પાણી વેરા પેટે 78 લાખથી વધુ આવક સાથે કુલ 6.35 કરોડ જેવી રેકર્ડબ્રેક ધીંગી આવત થવા પામી […]
લાલપુર પોલીસે ચોરાયેલો મુદ્દામાલ પરત કર્યો
લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુઝકો અર્પણ” અભિયાન હેઠળ એક ખેડૂતને ચોરાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આશરે રૂ. 2,29,000/-ની કિંમતનો ચોરાયેલો મગફળીનો જથ્થો મૂળ ફરિયાદીને સુપરત કરાયો હતો. આ ઘટના લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં બની હતી, જ્યાં એક ખેડૂતની મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતા જ લાલપુર પોલીસે […]
જામનગરના કલેક્ટર કેતન ઠક્કર વયનિવૃત્ત – રાષ્ટ્રધ્વજને સલામી આપી વિદાય લીધી
જામનગરના કલેક્ટર કેતન ઠક્કર એક વર્ષ અને બે મહિનાના કાર્યકાળ બાદ વયનિવૃત્ત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ઠક્કરે શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, તેમજ શહેરી અને ગ્રામ્ય વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી. […]










