ગુજરાત લોહાણા સમાજની મળેલી સામાન્ય સભાના ઠરાવ મુજબ પ્રદેશ સંગઠ્ઠન વધુ મજબુત બનાવવા આગળ ધપતી કાર્યવાહી : પ્રાદેશિક ઐતિહાસિક સંમેલનમાં મને સોંપાયેલી જવાબદારીને ન્યાય આપવા કાર્યરત : જીતુભાઈ લાલ ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા માટે વિરપુર ખાતે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા તેમજ પ્રદેશ સંમેલનમાં સર્વાનુમત્તે થયેલા નિર્ણય મુજબ ગુજરાત રઘુવંશી […]
India
તારીખ 21/02/2026 ને શનિવાર ના રોજ કર્ણાવતી મહાનગર ના અંકુર અને આદર્શ નગર વસ્તી આયોજિત વિરાટ હિન્દુ સંમેલન
હિન્દુ ચેતના, સનાતન સંસ્કૃતિને પોંખવા માટે અને આસ્થાની અખંડ જાગૃતિ માટે કર્ણાવતી મહાનગર ના નારણપુરા વિસ્તાર ના અંકુર અને આદર્શ નગર વસ્તી આયોજિત વિરાટ હિન્દુ સંમેલન અને ભવ્ય લોકડાયરા ના કાર્યક્રમ ભવ્યાતિભવ્ય સાથોસાથ ગરિમામય વાતાવરણ માં સંપન્ન થયો. કાર્યક્રમની શરૂઆત શ્રી શ્રેયાંશ શાહ દ્વારા ગુંજતા “ભારત માતા કી જય” તથા “જય શ્રી રામ”ના બુલંદ જયઘોષ […]
જૂનાગઢ-ચલાલા વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે મુસાફરોની સેવામાં ઉપલબ્ધ રહેશે. ટ્રેનનું સમયપત્રક અને રૂટ – વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના […]
ભાવનગરના નેસવડ ગામે ડીજે બંધ કરાવવા મામલે યુવાન પર જીવલેણ હુમલો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે એક વર્ષ પેહલાં ‘ડીજે’ બંધ કરાવવાની અદાવતમાં બે શખ્સોએ એક યુવાન પર લાકડી અને લોખંડની સોટી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને હાથની આંગળીમાં ફેક્ચર અને શરીરે મુઢ માર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં સારવાર બાદ તેણે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ […]
બોર્ડના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો ST બસમાં રવાના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર – કચ્છમાં ધોરણ 10 અને 12 ના 4,17,920 વિદ્યાર્થીઓ છે. જેમાં ધો.10 માં 2,52,092 ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,38,431 અને વિજ્ઞાન પ્રવાહમાં 28397 વિદ્યાર્થીઓ છે. દરમિયાન આજે રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ પરથી ધો.10 ના 2.52 લાખ વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો એસટી […]
બે દેહવ્યાપારના ગુનામાં વર્ષથી વોન્ટેડ શેખર સાળુંકે ઝડપાયો
સુરત શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવ્યાપારના 2 ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી માત્ર દેહવ્યાપાર જ નહીં, પણ વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ 15 […]
સાણંદમાં બંધ મકાનનું તાળું તોડી રૂ.1.50 લાખ રોકડ સહિત રૂ.3.10 લાખના મુદ્દામાલની ચોરી
સાણંદના નળ સરોવર રોડ પર આવેલ લક્ષમ્ણ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં રહેતા વૃદ્ધ દંપતી પ્રસંગમાં મકાન બંધ કરીને ગયા અને તકનો લાભ લઈને ચોરે મકાનમાંથી રોકડ રૂ.1.50 લાખ સહિત દાગીના મળી રૂ. 3.10 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મણપાર્ક સોસાયટીમાં આવેલ મકાન નં.13માં રહેતા 85 વર્ષીય […]
વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ડી. કે. વી. કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં તા. 12 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રીજીઓનલ એકઝીબીશન (કચ્છ અને સૌરાષ્ટ્ર)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. 13ના જામનગરથી ડી. કે. વી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના પ્રિ. ડૉ.પી. વી. બાણગગોરીયાનાં માર્ગદર્શન હેઠળ કોલેજના 154 વિદ્યાર્થીઓ અને 11 અધ્યાપકોએ એકઝીબીશનની મુલાકાત લઇ આધુનિક ઉદ્યોગ જગતની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત […]
જામનગરમાં દારૂના ધંધાર્થી સામે પાસા હેઠળ કાર્યવાહી, બે કેસ નોંધાતાં વડોદરા જેલમાં મોકલાયો
જામનગરમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાહિલ ફિરોજભાઈ પિંજારા સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. નંદનવન સોસાયટી પાસે પિંજારાવાસના રહેવાસી સાહિલ પિંજારા સામે તાજેતરમાં ઇંગ્લીશ દારૂ સંબંધિત બે કેસ નોંધાયા હતા, જેના પગલે તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસોને ધ્યાનમાં રાખીને, એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે […]
બોટાદનો ભક્ત આંખે પાટા બાંધી દ્વારકા પદયાત્રાએ
બોટાદના એક કૃષ્ણભક્તે પોતાની માનતા પૂરી કરવા માટે આંખે પાટા બાંધીને દ્વારકાધીશના દર્શને પદયાત્રા શરૂ કરી છે. આ ભક્ત આજે સવારે જામનગર જિલ્લામાં પહોંચ્યો હતો અને દ્વારકા તરફ પોતાનું પ્રયાણ ચાલુ રાખ્યું છે. બોટાદના રહેવાસી સંજય રમેશભાઈ પડેલીયાએ પોતાના જીવનમાં સુધારા માટે દ્વારકાધીશની માનતા માની હતી. તેમની પરિસ્થિતિ સુધરતા, તેઓ આ માનતા પૂરી કરવા માટે […]









