Gujarat

રાજપીપળા એરોડ્રામ ખાતે 11552 બોટલ પર JCB ફરી વળ્યું

નર્મદા પોલીસે રાજપીપળા એરોડ્રામ ખાતે ₹29.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ છેલ્લા છ મહિનામાં રાજપીપળા, તિલકવાડા અને આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ 11,552 નાની-મોટી બોટલોનો JCBની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 42 અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલા મુદ્દામાલને લગતી હતી. પ્રાંત અધિકારી પ્રસનજીત કૌર અને ઇન્ચાર્જ પોલીસ […]

Gujarat

ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ

ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ગંભીર બન્યું છે સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં જર્જરિત મકાનો માલિકોને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, ​ ભાવનગર ​મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી કુણાલસિંહ ચૌહાણ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં શહેરની અંદાજે […]

Gujarat

પૂર્વ સૈનિકોના સંતાનો માટે છાત્રાલયમાં પ્રવેશ શરૂ

મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ છાત્રાલય રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે. આ છાત્રાલયમાં ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણમાં સુરતની શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ છાત્રાલય જિલ્લા સૈનિક […]

Gujarat

પંચમહાલ, મહીસાગર, દાહોદમાં 70 કિ.મીની ઝડપે વાવાઝોડું

હવામાન વિભાગની સચોટ આગાહી વચ્ચે સોમવારની રાત્રે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા ભયાનક પલટા સાથે ત્રણ જિલ્લામાં 40થી 70 કિમીની પ્રચંડ ગતિએ તોફાની વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં દાહોદ ખાતે વાવાઝોડાને કારણે સ્માર્ટસિટીનું બોર્ડ ધરાશાયી થતાં એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. જયારે બે જણને ઇજા પહોંચી હતી. […]

Gujarat

મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં સરોડ ગામના સરપંચના પતિની ધરપકડ

મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઈમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સરોડ ગામના મહિલા સરપંચના પતિ કિરીટસિંહ પ્રભાતસિંહ ચૌહાણને રૂ. 1.45 લાખની ઉચાપતના આરોપસર ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડ સાથે કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 30 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. CID ક્રાઈમની તપાસમાં કિરીટસિંહ ચૌહાણ દ્વારા રૂ. 1.45 લાખની ઉચાપત કરવામાં […]

Gujarat

મહીસાગરમાં જાનૈયાઓનો જોખમી સ્ટંટ

મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલતી કારના બોનેટ પર જાનૈયાઓના જોખમી સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવાનો ડીજેના તાલે ડાન્સ કરતા જોવા મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભર બપોરે નીકળેલી જાનમાં બે ગાડીઓ (બોલેરો અને સ્કોર્પિયો)ના બોનેટ પર યુવાનો જોખમી રીતે ઊભા રહીને ડાન્સ કરી રહ્યા […]

Gujarat

સામાજિક-ધાર્મિક સંગઠનોએ રામસેંગ સોલંકીને સાલ ઓઢાડી અને ‘શ્રી કેશરભવાની માઁ’ ની છબી ભેટ આપી

વાવ તાલુકા પંચાયતના પ્રમુખ રામસેંગભાઈ સોલંકીનું વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમના નવીન પદભાર અને લોકાભિમુખ અભિગમને બિરદાવવા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનોના પ્રતિનિધિઓએ પ્રમુખ રામસેંગભાઈને સાલ ઓઢાડી અને ‘શ્રી કેશરભવાની માઁ’ ની છબી ભેટ આપી સન્માનિત કર્યા હતા. […]

Gujarat

પાલનપુર ચિનુવિલા ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનુમાન ટેકરી નજીક આવેલા ચિનુવિલામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં રાજસ્થાનની બાગરીયા ગેંગના એક સાગરીત રાકેશ ઘીસાલાલ બાગરીયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેંગ બંધ મકાનોમાં ચોરી કરવા માટે ટ્રેલર ટ્રકનો ઉપયોગ કરતી હતી. ગત 19 મે, 2026 ના રોજ પાલનપુર-આબુરોડ હાઈવે પરના ચિનુવિલા મકાનમાં […]

Gujarat

ઉનાના નાંદણ ગામમાં કૂવામાં પડેલા બે હરણનું રેસ્ક્યુ

ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં 40 ફૂટ ઊંડા કૂવામાં બે હરણ પડી ગયા હતા. વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ કલાકોની જહેમત બાદ બંને હરણને સુરક્ષિત બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખસેડ્યા છે. આ ઘટના બપોરના સુમારે રામજીભાઈ લખમણભાઈ મેવાડાની વાડીમાં બની હતી. જંગલની હદને અડીને આવેલા આ ખેતીવાડી વિસ્તારમાં વન્યપ્રાણીઓ ઘણીવાર પાણીની […]

Gujarat

પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થતા ગીર સોમનાથમાં વિકાસલક્ષી કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં આગામી 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ વિકાસલક્ષી અને જનહિતકારી કાર્યક્રમોની વ્યાપક શ્રેણી યોજાશે. આમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘જન કલ્યાણ શિબિર’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો તેમજ […]