અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિક અને જાહેર સુવિધાની સુધારણા માટે કડક અમલીકરણ અને લોકભોગ્ય સુવિધાઓ વધારવાની બેવડી કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે ઇસનપુર વિસ્તારમાં ટી.પી. સ્કીમ અંતર્ગત રસ્તા નડતરરૂપ 18 દુકાનો તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો છે. બીજી તરફ, શહેરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મુલાકાતીઓ માટે […]
India
ચોટીલા નાયબ કલેકટરે પાણી પુરવઠા-PGVCL અધિકારીઓ સાથે બેઠક યોજી
ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ પાણી પુરવઠા વિભાગ અને PGVCL વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પાણી પુરવઠા હેડ વર્ક્સ પર વારંવાર પાવર ટ્રિપિંગ થવાને કારણે પાણી વિતરણ વ્યવસ્થામાં ઊભી થતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવા આ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન, પાવર ટ્રિપિંગને કારણે ચોટીલા, થાન, સાયલા અને મુળી તાલુકાના ગામોમાં પાણી […]
SPGમાં ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગતની ADG તરીકે નિમણૂક
નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રાજીવ રંજન ભગત SPGમાં ADG પદે નિયુક્ત કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, કેબિનેટ સચિવાલયના સચિવ (સિક્યુરિટી) કાર્યાલય દ્વારા મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેના આધારે રાજીવ રંજન ભગતને SPGમાં ADG પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. 20 મે, 2027 સુધી જવાબદારી નિભાવશે આદેશ […]
જમીન દફતર વિભાગનું વિકેન્દ્રીકરણ: 138 જગ્યાઓ હવે તાલુકા કક્ષાએ કાર્યરત થશે
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જમીન દફતર (લેન્ડ રેકોર્ડ્સ) વિભાગના વિકેન્દ્રીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ કાર્યરત જમીન દફતર નિરીક્ષક (Inspector of Land Records) વર્ગ-2ની 138 જગ્યાઓને તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તાલુકા કચેરીઓમાં આ જગ્યાઓ કાર્યરત કરવા માટે પણ સૂચના […]
અંબાજી નજીક રાજસ્થાનમાં બે ટ્રકનો અકસ્માત
અંબાજી નજીક રાજસ્થાનની હદમાં વહેલી સવારે બે હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. છાપરી અને સુરપગલા ગામ વચ્ચે બનેલી આ ઘટનાને કારણે કલાકો સુધી ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બંને હાઈવા ટ્રક આબુરોડથી અંબાજી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રક […]
સિંહોના મોતને પગલે ગીરની તમામ 19 રેન્જ હાઈએલર્ટ પર
ગીર જંગલમાં એશિયાટિક સિંહોમાં બેબેસિયા અને સી.વી.ડી. વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ આઠ સિંહોના મૃત્યુ થયા છે. વન વિભાગે સત્તાવાર રીતે આ વાત સ્વીકારી છે. આ રોગચાળાને કારણે 17 સિંહોને જામવાળા અને જસાધાર રેસ્ક્યુ સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ રોગ દૂધાળા પશુઓમાંથી સિંહો સુધી પહોંચેલી ઇતરડીના ઉપદ્રવથી ફેલાયો હોવાનું મનાય છે, જેને નાથવા વન […]
ડારી ટોલ પ્લાઝા સામે CNG કારમાં અચાનક આગ
જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ડારી ટોલ પ્લાઝા સામે સોમવારે સાંજે એક CNG કારમાં અચાનક આગ લાગી હતી. વેરાવળ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું છે. સોમવારે સાંજે આશરે 6:30 વાગ્યે જગમાલ સોલંકીએ ફાયર કંટ્રોલ રૂમમાં આગ લાગ્યાની જાણ કરી હતી. તેમણે જણાવ્યું […]
વાઘેશ્વરી તળાવનાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માંગ
જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા પાસે ઐતિહાસિક વાઘેશ્વરી તળાવના નવસાધ્ય અને આધુનિકીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 18 કરોડની મોટી રકમ મંજૂર કરવામાં આવી છે. આ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને આશરે બે વર્ષ લાંબો સમય વીતી ગયો હોવા છતાં તળાવના વિકાસનું કામ હજુ સુધી અધૂરું જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં દૂબડી તળાવ તરીકે […]
બાંટવા PHC ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
બાંટવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપરવાઈઝર રાજસીભાઈ બોરખતરીયાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં કુલ 57 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ રાજસીભાઈ બોરખતરીયાના 56મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જે તેમના 57મા વર્ષના પ્રારંભને સમાજ ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્યથી પ્રેરિત હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના […]
વંથલી-માણાવદર હાઈવે પર કાળમુખો અકસ્માત
જૂનાગઢ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વંથલીથી માણાવદર તરફ જતા મુખ્ય હાઈવે પર પુરપાટ ઝડપે દોડતી કાર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક આધેડનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર રોડ પર ફગવાઈ ગયા હતા અને ગંભીર […]










