પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનુમાન ટેકરી નજીક આવેલા ચિનુવિલામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં રાજસ્થાનની બાગરીયા ગેંગના એક સાગરીત રાકેશ ઘીસાલાલ બાગરીયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેંગ બંધ મકાનોમાં ચોરી કરવા માટે ટ્રેલર ટ્રકનો ઉપયોગ કરતી હતી. ગત 19 મે, 2026 ના રોજ પાલનપુર-આબુરોડ હાઈવે પરના ચિનુવિલા મકાનમાં […]
India
ઉનાના નાંદણ ગામમાં કૂવામાં પડેલા બે હરણનું રેસ્ક્યુ
ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં 40 ફૂટ ઊંડા કૂવામાં બે હરણ પડી ગયા હતા. વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ કલાકોની જહેમત બાદ બંને હરણને સુરક્ષિત બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખસેડ્યા છે. આ ઘટના બપોરના સુમારે રામજીભાઈ લખમણભાઈ મેવાડાની વાડીમાં બની હતી. જંગલની હદને અડીને આવેલા આ ખેતીવાડી વિસ્તારમાં વન્યપ્રાણીઓ ઘણીવાર પાણીની […]
પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થતા ગીર સોમનાથમાં વિકાસલક્ષી કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં આગામી 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ વિકાસલક્ષી અને જનહિતકારી કાર્યક્રમોની વ્યાપક શ્રેણી યોજાશે. આમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘જન કલ્યાણ શિબિર’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો તેમજ […]
ગ્રામજનોએ દબાણ દૂર કરવા સમય માંગ્યો હતો
સુત્રા પાડા તાલુકાના મહોબતપરા ગામે ગોચર જમીન અને જાહેર રસ્તા પર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી માટે પ્રશાસનનો કાફલો મોટા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો. સ્થાનિક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજીના અનુસંધાને ડી.એલ.આર. (જિલ્લા જમીન રેકોર્ડ) કચેરી દ્વારા સ્થળ પર જમીન માપણી કરવામાં આવી હતી, જેમાં ગોચર અને રસ્તાની જમીન પર દબાણ થયાનું સામે આવ્યું […]
તાતીવેલા ગામે બાળકી પર હુમલો કર્યો હતો; 48 કલાક બાદ પકડાઈ
વેરાવળ નજીક તાતીવેલા ગામે ત્રણ વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડી 48 કલાકની જહેમત બાદ વન વિભાગના પાંજરે પુરાઈ છે. આ ઘટના બાદ છેલ્લા બે દિવસથી વિસ્તારમાં ભયનો માહોલ હતો. દીપડી પકડાઈ જતાં સ્થાનિકો અને વન વિભાગે રાહત અનુભવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે તાતીવેલા ગામે એક પરિવાર વાડી વિસ્તારમાં પિકનિક માટે ગયો હતો. રાત્રિના […]
જામનગરમાં SEED લાભાર્થીઓ સાથે બેઠક યોજાઈ
જામનગરમાં વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે SEED (Scheme for Economic Empowerment of DNTs) યોજનાના લાભાર્થીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ યોજનાના અમલીકરણ અને લાભાર્થીઓને મળતા ફાયદાઓની સમીક્ષા કરવાનો હતો. બેઠક દરમિયાન, સદસ્ય ભરતભાઈ પટણીએ જામનગર જિલ્લામાં SEED યોજના હેઠળ લાભ મેળવનારા […]
જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો, પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ
જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે જામજોધપુરની 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ આરતી મોગેરાએ આ ગુનાને ઘૃણાસ્પદ ગણાવી આરોપીને આકરી સજા અને દંડનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, 27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે જામજોધપુર મામલતદાર ઓફિસ પાછળથી આરોપી મયુર ઉર્ફે અજીત અજય સોલંકીએ 12 […]
જામનગરમાં પોલીસનું જાગૃતિ અભિયાન
જામનગરમાં પોલીસ તંત્ર દ્વારા યુવા પેઢીને સુરક્ષિત રાખવાના ઉમદા આશય સાથે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કે.ડી. એકેડમી ખાતે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, નશાબંધી અને ટ્રાફિક નિયમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાન પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના […]
20 કિલો સાંકળ પહેરી RCB ફેન સોમનાથ યાત્રાએ નીકળ્યો
આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ઐતિહાસિક જીતની ખુશીમાં જામનગર જિલ્લાના એક ક્રિકેટપ્રેમીએ અનોખી શ્રદ્ધા યાત્રા શરૂ કરી છે. લાલપુર તાલુકાના ઝાખર ગામના રહેવાસી રાઠોડ વીરેન્દ્રસિંહે 20 કિલો વજનની લોખંડની સાંકળ શરીર પર ધારણ કરીને સોમનાથ મહાદેવના દર્શનાર્થે પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો છે. વીરેન્દ્રસિંહ રાઠોડનો આ ક્રિકેટ પ્રત્યેનો અદમ્ય પ્રેમ અને ભગવાન પ્રત્યેની આસ્થાનો સંગમ […]
જામનગર શહેરમાં ધોમધખતા તડકામાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે છાશનું અમૃત
જામનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા માટે ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી. (TRB) જવાનો સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આવા કપરા વાતાવરણમાં રોડ પર ઊભા રહીને કામ કરતા આ જવાનોના સ્વાસ્થ્ય અને ઉત્સાહને જાળવી રાખવા માટે જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા એક સરાહનીય અને માનવતાવાદી પહેલ કરવામાં […]










