આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ગોવામાં વિજય સરદેસાઈના નેતૃત્વવાળી ‘ગોવા ફોરવર્ડ પાર્ટી‘ સાથે ગઠબંધન કરીને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી લડશે અને ભારતીય જનતા પાર્ટી ને સત્તા પરથી હટાવશે. અરવિંદ કેજરીવાલે આ ગઠબંધનને ‘ગોવા ફર્સ્ટ‘ નામ આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં બોલતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો […]
Author: JKJGS
પશ્ચિમ બંગાળ સરકારે સમીક્ષા બાદ ૨૫૨ મદ્રસા બંધ કર્યા, અન્ય ૧૦૦ને કારણદર્શક નોટિસ ફટકારી
પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યમાં ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓની સમીક્ષા કરી રહી છે અને તે અંતર્ગત ૨૫૨ મદ્રસાઓને બંધ કરવાની નોટિસ જારી કરી છે. ચકાસણી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં અન્ય ૧૦૦ મદ્રસાઓને પણ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે બંધ થવાના આરે રહેલી ૨૫૨ મદ્રસાઓમાંથી મોટાભાગની ‘ખારીજી‘ સંપ્રદાયની છે. તેમાંથી ઓછામાં ઓછી ૪૪ મદ્રસાઓ માલદામાં, […]
ભૂતપૂર્વ આર્મી મેન સ્કૂટી પર સવારી કરીને તેલંગાણા છાવણીમાં ઘૂસી ગયો, હથિયારોની લૂંટ ચલાવી
સધર્ન કમાન્ડના મિલિટરી ઇન્ટેલિજન્સ અને તેલંગાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં જાણવા મળ્યું છે કે, બોલિવૂડ મૂવી જેવી ઘટનામાં, સિકંદરાબાદમાં સેનામાંથી બરતરફ કરાયેલા એક હવાલદારે કથિત રીતે સ્કૂટી પર સવાર થઈને ઉચ્ચ સુરક્ષા ધરાવતા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પ્રવેશ કર્યો, શસ્ત્રાગાર (આર્મરી)નું તાળું તોડ્યું અને લશ્કરી કક્ષાના શસ્ત્રોનો જથ્થો લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટના સિકંદરાબાદના બોલારમ સ્થિત […]
બ્રિક્સ (BRICS) સમિટમાં વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ ખનિજાેના શસ્ત્રીકરણ સામે ચેતવણી આપી: ‘સાથે મળીને આપણે આગળ વધીશું‘
નવી દિલ્હીમાં ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટના બીજા દિવસે, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ અધ્યક્ષપદ માટે ભારતની ચાર મુખ્ય પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો: સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું. તેમણે જણાવ્યું હતું કે ભારતે આ ચાર સ્તંભો પર પોતાના પ્રયાસો કેન્દ્રિત કર્યા છે અને સભ્ય દેશોના સહયોગથી આ સમૂહ પોતાની સહિયારી દ્રષ્ટિને “પરસ્પર લાભદાયી સહયોગ” માં પરિવર્તિત […]
જાવા સમુદ્રમાં ૨૪૦ લોકો સવાર ઇન્ડોનેશિયાના જહાજનો સંપર્ક તૂટ્યો, શોધખોળ અભિયાન ચાલુ
આશરે ૨૪૦ લોકોને લઈ જતું એક પેસેન્જર જહાજ ઈન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતથી બોર્નિયો ટાપુ પર આવેલા દક્ષિણ કાલિમાનતાન તરફ જતી વખતે જાવા સમુદ્રમાં સંપર્ક વિહોણું થઈ ગયું છે. જહાજ અને તેમાં સવાર લોકોને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ (શોધ અને બચાવ) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સુરાબાયાથી બંજરમાસિન જઈ […]
મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમે દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં કિશોર કુમારનું ‘ખ્વાબ હો તુમ‘ ગાયું
મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ૧૮મી બ્રિક્સ સમિટ માટેની તેમની ભારત મુલાકાત દરમિયાન બોલિવૂડનો રંગ ઉમેર્યો હતો. તેમણે કિશોર કુમારના સદાબહાર ગીત “ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત” ને અચાનક ગાઈને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દિલ્હીમાં આ લોકપ્રિય હિન્દી ગીત ગાતા મલેશિયન નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દિલ્હીમાં અનવર દ્વારા કિશોર કુમારનું […]
હોરમૂઝની સામુદ્રધુની નજીક ઈરાની વ્યાપારી જહાજ પર હુમલો થતાં એકનું મોત, ત્રણ ઘાયલ
સ્થાનિક ઈરાની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, રવિવારે (૧૩ સપ્ટેમ્બર) હોર્મુઝની સામુદ્રધુની નજીક કેશમ ટાપુ પાસે એક ઈરાની વ્યાપારી જહાજ પર હુમલો થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે આ વ્યૂહાત્મક જળમાર્ગને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. સરકારી ટીવીના અહેવાલ […]
શી જિનપિંગની સુરક્ષા-સજ્જ લિમોઝિનનો ઉપયોગ ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન કરાયો
૧૮મી બ્રિક્સ સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દ્વિપક્ષીય બેઠક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી, પરંતુ તેમની કારે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના આગમન પહેલાં જ કાફલાના અન્ય વાહનોની સાથે આ કારને પણ દિલ્હી લાવવામાં આવી હતી. ‘હોંગકી N701′ (Hongqi N701) નામની આ કારને […]
ભારતે પૂરગ્રસ્ત નેપાળને બેઈલી બ્રિજના ભાગોની પ્રથમ ખેપ મોકલી.
ભારતે પૂરગ્રસ્ત બેત્રાવતી વિસ્તારમાં સંપર્ક વ્યવસ્થા પુન:સ્થાપિત કરવામાં મદદ કરવા માટે નેપાળને ૭૦-મીટરના બેઈલી બ્રિજ માટેના ઘટકોનો પ્રથમ જથ્થો મોકલ્યો છે. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે ‘ઠ‘ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હેતૌડા ખાતે નેપાળના રોડ ડિવિઝનને આ જથ્થો સોંપવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પુલના ઘટકોના વધુ જથ્થા ત્યાં […]
દહેગામમાં ગણેશ ચતુર્થીનો ઉત્સાહ, મૂર્તિ બજારમાં તેજી
દહેગામ શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવારને કારણે ચારેય બાજુ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ તહેવાર આવતા સ્થાનિક બજારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ ઝડપી બન્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને એસ.ટી. સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં નાની લારીઓથી લઈને મોટા સ્ટોલ સુધી ઘણી પ્રકારની મૂર્તિઓ વેચાણ માટે તૈયાર છે, જે ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ […]










