Gujarat

ગોધરા જેલના પ્રયાસોથી ગરીબ કેદીને 6 મહિને મુક્તિ મળી

ગોધરા સબ જેલ પ્રશાસનના પ્રયાસોથી પશુ ધારાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના બંદીવાન અરવિંદ મણીલાલ નાયકને ૬ મહિના બાદ જેલમુક્ત કરવામાં આવ્યા છે. એક સંસ્થા દ્વારા રૂપિયા ૩૦ હજારની આર્થિક મદદ મળતા તેઓ જામીન પર છૂટી શક્યા. અરવિંદ નાયક ગત ૨ જાન્યુઆરી, ૨૦૨૬થી પશુ ધારા હેઠળ ગોધરા સબ જેલમાં બંધ હતા. તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી […]

Gujarat

સુરત જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન, અનેક વિસ્તારોમાં વરસાદ

સુરત જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી પધરામણી કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મળતી માહિતી મુજબ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ અને બારડોલી સહિતના તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આ વરસાદ ખેડૂતો માટે […]

Gujarat

ઓનલાઇન હાજરી ન પૂરનારા 550થી વધુ શિક્ષકોને નોટિસ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન હાજરી પ્રણાલીનો અત્યંત કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી સુરતમાં શિક્ષણના સ્તરને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ વધારાયો છે. જોકે, આ નવી કડક સિસ્ટમના પ્રથમ મહિનામાં જ શિક્ષણ […]

Gujarat

નકલંક ધામ સણોસરીમાં અષાઢી બીજ નિમિત્તે ધાર્મિક મેળાનું આયોજન

લાલપુર તાલુકાના પવિત્ર યાત્રાધામ નકલંક ધામ, રણુજા સણોસરી ખાતે અષાઢી બીજના પાવન અવસરે બે દિવસીય ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 15 અને 16 જુલાઈ, 2026ના રોજ યોજાશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો, સંત-મહંતો અને ગ્રામજનો આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. […]

Gujarat

જામનગરના નવા મોખાણામાં દીપડાના આંટાફેરા

જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. આ કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગે દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા ગોઠવ્યા છે, પરંતુ દીપડો હજુ પાંજરે પુરાયો નથી. સૌપ્રથમ દીપડો જોવા મળ્યો ત્યારે તેના ફોટા વાયરલ થયા હતા. તે સમયે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો […]

Gujarat

લાલપુર-પોરબંદર હાઇવે પર કાર-બાઈક અકસ્માત

લાલપુર-પોરબંદર હાઇવે પર ભણગોર પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નકલંકધામ સણોસરી ખાતે મેળાનું આયોજન હોવાને કારણે આ હાઇવે પર સામાન્ય દિવસો કરતાં વધુ વાહનવ્યવહાર હતો, જેના કારણે ટ્રાફિકની […]

Gujarat

શહેરમાં ટ્રીટમેન્ટ વગર જ ગંદુ પાણી દરિયામાં ઠાલવતું મહાનગરપાલિકા

મહાનગરપાલિકા દ્વારા રોજનું લાખો લીટર ગંદુ પાણી શુદ્ધ કરવાના દાવાઓ વચ્ચે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની સરપ્રાઈઝ વિઝિટે તંત્રની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્લાન્ટ છતાં, કોઈ જ પ્રોસેસ કર્યા વિના ઝેરી અને ગંદુ પાણી સીધું દરિયામાં વહાવી દઈ પર્યાવરણનો સોથ વાળવામાં આવી રહ્યો છે. ​GPCB દ્વારા આ ગંભીર લાપરવાહી બદલ કોર્પોરેશનને […]

Gujarat

જામનગરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજ ઝડપાયો

જામનગરમાં સિટી ‘સી’ ડિવિઝન પોલીસે ખોડીયાર કોલોની વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 71,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં માસ્ટર આઈડી પૂરી પાડનાર સહિત ત્રણ અન્ય આરોપીઓ ફરાર છે. પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે દરોડા પાડી ખોડીયાર કોલોની, જામનગરના રહેવાસી 29 વર્ષીય અંકુર મનોજભાઈ પરમારને પકડ્યો હતો. […]

National

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ‘સૌશ્રુતમ ૨૦૨૬‘ નું ઉદ્ઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુશ્રુત જયંતિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (છૈંૈંછ), નવી દિલ્હી ખાતે ‘સૌશ્રુતમ ૨૦૨૬‘ નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે છૈંૈંછના સ્ઇૈં વિભાગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જનસભાને સંબોધતા, રાષ્ટ્રપતિએ સર્જરીના પિતા તરીકે વ્યાપકપણે ઓળખાતા આચાર્ય સુશ્રુતની જન્મજયંતીના પાવન અવસરે આયુર્વેદ સાથે જાેડાયેલા દરેકને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું […]

National

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાયના છાણના યોગ્ય ઉપયોગ માટે દિલ્હીમાં કમ્પ્રેસ્ડ બાયો-ગેસ પ્લાન્ટ્સની સ્થાપના માટે MCD અને NDDB વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એ નવી દિલ્હીમાં ગાયના છાણના યોગ્ય ઉપયોગ માટે દિલ્હીમાં કમ્પ્રેસ્ડ બાયો-ગેસ પ્લાન્ટ્સની સ્થાપના માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, દિલ્હીના લેફ્ટનન્ટ […]