જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે 15,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાનો પીછો, મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવી જામનગરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતા આરોપી […]
Author: JKJGS
જામનગર ભાજપના નવા પદાધિકારીઓએ ધર્મગુરુઓના આશીર્વાદ લીધા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પદાધિકારીઓએ પદભાર સંભાળ્યા બાદ શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી અને સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ શુભેચ્છા મુલાકાતમાં જામનગરના મેયર મોનીકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણી, દંડક પ્રવિણાબેન […]
જામનગરમાં એરફોર્સ સાર્જન્ટનો ક્વાર્ટરમાંથી મૃતદેહ મળ્યો
જામનગરમાં એરફોર્સ-1ના ક્વાર્ટરમાંથી એક સાર્જન્ટનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના અંગે સિટી “સી” ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રોહિતભાઈ નરેશભાઈ ધનખડ (ઉ.વ.36) એરફોર્સમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એરફોર્સ-1ના ગેટ નંબર-2 નજીક આવેલા ક્વાર્ટરમાં રહેતા હતા. આ ઘટના તા. 1 […]
જામનગર શહેરના ભાગોળે ચાચા-ભતીજા રેસ્ટોરન્ટમાં ભીષણ આગ
જામનગર શહેરમાં એક માસ પહેલા જ ફાયર એસઓસી ન મેળવનાર હોટલ-રેસ્ટોરન્ટોને અપાયેલી નોટિસોમાં ચાચા-ભતીજા રેસ્ટોરન્ટમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ છે. ભોજનના સમયે જ લાગેલી આગથી લોકો જમવાનું અધવચ્ચે છોડીને જીવ બચાવવા બહાર દોટ મુકી હતી. રેસ્ટોરન્ટના સંચાલકોએ ત્વરિત 15 ગેસના ભરેલા બાટલાઓ બહાર કાઢી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી. […]
જામનગર જિલ્લામાં તમાકુ સેવનની સરેરાશ ઉંમર માત્ર 10 વર્ષ, મૌખિક કેન્સર સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ કરાયું
દર વર્ષે 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક ઝુંબેશનો હેતુ તમાકુ ઉદ્યોગની ભ્રામક યુક્તિઓને ખુલ્લી પાડવાનો છે, જેના દ્વારા તેઓ યુવા પેઢીને આકર્ષિત કરે છે. આંકડા દર્શાવે છે કે તમાકુ ઉદ્યોગની હાનિકારક અસરોથી લાંબા ગાળે તેના લગભગ 50 % વપરાશકર્તાઓ મૃત્યુ પામે છે. આ ગંભીર વૈશ્વિક પડકારને […]
લાખોટા તળાવ-2 બ્યુટીફિકેશન: જૂનું બાલમંદિર તોડાયું
જામનગર મહાનગરપાલિકાએ લાખોટા તળાવ ફેઝ-2 ના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં અવરોધરૂપ જૂના બાલમંદિર (આધાર સેન્ટર) ને તોડી પાડ્યું છે. આ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ એવા લાખોટા તળાવના સૌંદર્યીકરણની કામગીરી પ્રગતિમાં છે. તળાવની પાળ પર આવેલું આ વર્ષો જૂનું બાલમંદિર, જેનો ઉપયોગ આધાર કેન્દ્ર તરીકે થતો હતો, તે આધુનિકીકરણ અને વૉકિંગ […]
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર વ્હીલ નીકળી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કેરી ભરેલું એક પીકઅપ વાન પલટી ગયું હતું. સદનસીબે, ચાલકનો આબાદ બચાવ થયો હતો. ભાવનગરથી સુરત તરફ જઈ રહેલા આ પીકઅપ વાનનું વ્હીલ અચાનક નીકળી જતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા વાહન રોડ પર પલટી ગયું હતું. અકસ્માતને કારણે વાહનમાં ભરેલા કેરીના […]
ઇસ્કોન ભાડજમાં શ્રી રાધા માધવનો આમ મનોરથ મહોત્સવ યોજાયો
અમદાવાદ, ભાડજ, તા. 31.05.2026: પવિત્ર પુરુષોત્તમ માસના શુભ અવસરે ઇસ્કોન ભાડજ ખાતે શ્રી શ્રી રાધા માધવનો ભવ્ય આમ મનોરથ મહોત્સવ યોજાયો હતો. આ વિશેષ ઉત્સવમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવને આશરે 1500 કિલોગ્રામ તાજી કેરીઓથી અતિ મનોહર રીતે અલંકૃત કરવામાં આવ્યા હતા. મંદિરના દર્શનમંડપમાં સર્જાયેલ આ દિવ્ય આમ મનોરથ ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો […]
સિંધુભવન રોડ કાદવ કિચડથી ખરાબ કરનાર ZADE ગ્રુપને 5 લાખનો દંડ
અમદાવાદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે, ત્યારે આ ગૌરવ જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જાહેર રોડ પર ગંદકી કરનારા તત્વો સામે લાલ આંખ કરી રહ્યું છે. શહેરના પોશ ગણાતા સિંધુભવન રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટના વાહનો દ્વારા ગંદકી ફેલાવવા બદલ એક જાણીતા બિલ્ડર ગ્રુપને ₹5 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. […]
ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ખાતે બ્લુ મૂન દેખાયો
31 મેના રોજ આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના, માઇક્રો બ્લુ મૂન, જોવા મળી હતી. આ અનોખી ચંદ્ર ઘટનાને નિહાળવા માટે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા પ્રાંતિજ નજીક આવેલા સલાલના ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ખાતે સાંજે 6:30 […]










