ઇન્સ્ટાગ્રામ પર રિલેશનશીપ ગુરુ અને કિન્નર ગુરૂમાની ઓળખ આપીને વિધીના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. આરોપી લોકો પાસેથી વિધીના બહાને પૈસા પડાવતો તથા ન્યૂડ કોલ રેકોર્ડ કરીને બ્લેકમેઈલિંગ કરીને પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ અલગ અલગ લોકોને ભોગ બનાવીને કુલ 60 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું […]
Author: JKJGS
માણાવદરના દગડના તળાવની 6.50 કરોડના ખર્ચે કાયાપલટ : પાણી સંગ્રહ શક્તિમાં 5 ગણો વધારો થશે
માણાવદર તાલુકાના દગડ ગામ નજીક આવેલા દગડ અને જાંબુડા તળાવના રિસ્ટોરેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 6.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજના પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ શક્તિમાં પાંચ ગણો વધારો થશે, જેનો લાભ આસપાસના અનેક ગામોને મળશે. 1980-90ના દાયકામાં નિર્મિત આ તળાવોની મૂળ સંગ્રહ ક્ષમતા અંદાજે 10 MCFT હતી. […]
ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે 9 દિવસ બંધ
આ કામગીરીના ભાગરૂપે ગિરનાર રોપ-વે સેવા આગામી 2 જૂનથી 10 જૂન 2026 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ બંધ રહેશે, જેના કારણે શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સંચાલકોએ જણાવ્યું હતું કે સુરક્ષા જાળવી રાખવા માટે આ ટેકનિકલ તપાસ અત્યંત આવશ્યક છે. […]
જામનગરમાં મહાનગરપાલિકાએ 105 કિલો સડેલી કેરીનો નાશ કર્યો
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઉનાળા અને મસાલાની સિઝનને ધ્યાનમાં રાખીને વિશેષ ખાદ્ય ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ, નમૂના પરીક્ષણ અને જાગૃતિ અંગે કામગીરી કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 12 મસાલાના અને 2 ગોળાના નમૂના વડોદરા સ્થિત ખાદ્ય અને […]
જામનગરના આરબલુસ ગામમાં કોર્ટે સજા ફટકારી, હત્યાને આપઘાતમાં ખપાપવવાનો પ્રયાસ કરાયો હતો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામમાં થયેલા ચકચારી મહિલા હત્યા કેસમાં અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. જામનગરની સેશન્સ કોર્ટે મૃતક મહિલાના પતિ અને જેઠાણીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયેલા આ કેસમાં મેડિકલ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે હત્યાનો ગુનો સાબિત થયો હતો. આખો બનાવ શું છે? ભાવનગર જિલ્લાના ભંડારીયા […]
જામનગરમાં જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો પ્રારંભ
જામનગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા (રાધે-રાધે)ની શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજિત આ કથા તા.25 થી 31 મે, 2026 (અધિક જેઠ સુદ દશમથી અધિક જેઠ પૂર્ણિમા) દરમિયાન ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પરિસર, માતૃ કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસ, વિજયાબેન જીવનભાઈ ગોવાણી વિદ્યાલય, લાલવાડી મેઈન […]
કર્ણાટકમાં સત્તાની લડાઈ વધુ ગુંચવાઈ? કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવ્યા
રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે નવી અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મંગળવારે (૨૬ મે) દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સિદ્ધારમૈયા આજે મોડી સાંજે દિલ્હી આવે તેવી શક્યતા છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ દિલ્હી આવે તેવી શક્યતા છે. બંને નેતાઓ કોંગ્રેસ હાઇકમાન્ડને મળે તેવી શક્યતા છે. કોંગ્રેસના ટોચના નેતાઓ બેઠક દરમિયાન કર્ણાટક અંગે ર્નિણય લઈ શકે છે. […]
જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં કેબલ કાર હવામાં બંધ પડી જતાં અનેક પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા
સોમવારે જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં કેબલ કાર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા લગભગ ૩૦૦ પ્રવાસીઓ હવામાં ફસાઈ ગયા હતા. આ ઘટનાને કારણે સેના, પોલીસ અને નાગરિક વહીવટીતંત્ર સહિત મોટી બચાવ કામગીરી શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોંડોલા તરીકે જાણીતી કેબલ કાર સેવા, ટેકનિકલ ખામીને કારણે અચાનક બંધ થઈ ગઈ હતી, જેના કારણે પ્રવાસીઓ થોડા […]
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બીજાે ‘જનતા દરબાર‘ યોજ્યો, લોકોની ફરિયાદો સાંભળી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સોલ્ટ લેક સ્થિત ભાજપના રાજ્ય કાર્યાલય ખાતે તેમનો બીજાે ‘જનતા દરબાર‘ યોજ્યો, જેમાં લોકોની ફરિયાદો અને માંગણીઓ સાંભળી. મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે સવારથી જ સેંકડો લોકો, જેમાં ઘણા નોકરી શોધનારા છે, પાર્ટી કાર્યાલયમાં કતારમાં ઉભા જાેવા મળ્યા. આ લોકોને મુલાકાત સ્લિપ આપવામાં આવી હતી કારણ કે તેઓ ધીરજપૂર્વક અધિકારી […]
‘કોક્રોચ‘ ટિપ્પણી પરના વિવાદ વચ્ચે CJI સૂર્યકાન્તે કહ્યું, ‘આ મુદ્દા ને આટલી ભાવનાત્મક રીતે ન લો‘
સુપ્રીમ કોર્ટે કોર્ટરૂમમાં તાજેતરમાં થયેલી ટિપ્પણી બાદ ફાટી નીકળેલા “કોક્રોચ” વિવાદ સાથે જાેડાયેલી અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હોવાથી, ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે સોમવારે વકીલોને “આટલી ભાવનાત્મક” પ્રતિક્રિયા ન આપવા કહ્યું. આ મામલો CJI, જસ્ટિસ જાેયમલ્યા બાગચી અને વીએમ પંચોલીની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આવ્યો. કોર્ટે અવલોકન કર્યું કે આ મામલે કોઈ તાત્કાલિક તાકીદ […]










