Gujarat

હરસિદ્ધિ વનની ૧૦ લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ)માં અરબી સમુદ્રના રમણીય કિનારે વિકસાવવામાં આવેલ હરસિદ્ધિ વન આજે રાજ્યના અગ્રણી પર્યટન સ્થળોમાં સ્થાન પામી રહ્યું છે. પ્રકૃતિના અદભૂત સૌંદર્ય, વિશાળ દરિયાકિનારા અને સાંસ્કૃતિક વારસાના સમન્વયથી આ વન પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્વારકાથી આશરે 65 કિલોમીટર અને પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર સ્થિત આ સાંસ્કૃતિક વન દરિયાઈ […]

Gujarat

અધિક જન્માષ્ટમીએ દ્વારકાધીશના સ્નાન દર્શન

દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં અધિક જન્માષ્ટમી નિમિત્તે ભાવિકોને ખુલ્લા પડદે શ્રીજીના સ્નાન દર્શનનો દુર્લભ અવસર પ્રાપ્ત થયો. મંદિરની પરંપરા અનુસાર, વર્ષમાં માત્ર બે વખત જન્માષ્ટમી અને જ્યેષ્ઠા અભિષેક પ્રસંગે ખુલ્લા પડદે સ્નાન દર્શન કરાવવામાં આવે છે. આ પવિત્ર અવસરે શ્રી દ્વારકાધીશને વિવિધ નદીઓના પવિત્ર જળ, ફળોના રસ, કેસરયુક્ત જળ અને સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવવામાં […]

Gujarat

રેશમિયા તળાવમાં માછલીઓ તડપી રહી, નાયબ કલેક્ટરે લીધો નિર્ણય

ચોટીલાના રેશમિયા તળાવમાં પાણી સુકાઈ જતાં માછલીઓ ગરમી અને ઓક્સિજનના અભાવે તડપી રહી હતી. આ અંગેની જાણ થતાં ચોટીલાના નાયબ કલેક્ટર (SDM) એચ. ટી. મકવાણાએ તાત્કાલિક પાણીનું ટેન્કર મોકલવાની સૂચના આપી હતી, જેનાથી અનેક જળચર જીવોના જીવ બચાવવાનો પ્રયાસ કરાયો. રેશમિયા ગામના માલધારી હરજીભાઈએ જાણ કરી હતી કે, તળાવમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. 45થી […]

Gujarat

પાટણમાં હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર

પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે, બુકડી વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ સંયુક્ત ડિમોલિશન કામગીરી પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરવામાં આવી છે. ખોખરો તરીકે ઓળખાતા […]

Gujarat

પાટણમાં ₹1.25 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન-બોરવેલ

પાટણ નગરપાલિકા દ્વારા ₹124.97 લાખના અંદાજિત ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન અને બોરવેલના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો 15મા નાણાં પંચની વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવ્યા છે. શહેરના કુલ 19 વિસ્તારોમાં પાણીની સુવિધા સુદ્રઢ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 17 જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવશે. વધુમાં, પાણીની […]

Gujarat

જય ગોગા ગ્રુપ દ્વારા 500 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જય ગોગા ગ્રુપ નહેરુ ચોકડી દહેગામ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું હતું. ધોરણ 5 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. દહેગામ તાલુકા રબારી […]

Gujarat

વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના સહિત 2.07 લાખની મત્તા સેરવી પલાયન

ગાંધીનગર જિલ્લાના કલોલના 72 વર્ષીય વૃદ્ધાને મંઝિલ સુધી પહોંચાડવાના બહાને રીક્ષામાં બેસાડીને નજર ચૂકવી રિક્ષામાં સવાર ગેંગ સોનાના દાગીના – રોકડ રકમ મળીને કુલ રૂ.2.07 લાખની મત્તા તફડાવી ફરાર થઈ જતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડાથી રિક્ષામાં બેઠા ને અડાલજમાં ઉતારી દીધા કલોલની આઝાદનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય કોકિલાબેન […]

Gujarat

દરિયાઈ વિસ્તારોમાં શંકાસ્પદ બોટોનું ચેકિંગ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણને પગલે ભારતીય દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ અને અભેદ્ય બનાવવી અતિ આવશ્યક છે. સામાન્ય રીતે કોઈપણ આતંકવાદી ઘટના સમયે કે તેના તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો હોઈ ખૂબ જ કટોકટીપૂર્ણ હોય છે. પરંતુ, સુરક્ષા નિષ્ણાતોના મતે આ બંને ગાળાઓ કરતાં પણ વધુ મહત્વનો સમય હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ […]

Gujarat

જામનગરના ત્રિકમરાયજી મંદિરે 551 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ

જામનગરના આણંદબાવા ચકલા સ્થિત પ્રાચીન શ્રી ત્રિકમરાયજી મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 551 દીવડાઓની દિવ્ય મહાઆરતી અને શ્રીસૂક્તમ-પુરુષસૂક્તમના 551 પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ત્રિકમરાયજીના પૂજન-અર્ચનથી થઈ હતી. જ્ઞાતિના મહિલા અને પુરુષ સભ્યો દ્વારા સામૂહિક રીતે શ્રીસૂક્તમ અને પુરુષસૂક્તમના કુલ 551 પાઠનું પઠન કરાયું […]

Gujarat

જામનગરમાં 14 વર્ષીય તરુણીનું હાર્ટ એટેકથી નિધન

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ હતી. મળતી માહિતી મુજબ, આનંદી પુરુષોત્તમ માસના પ્રસંગે રાજકોટમાં તેના મામાના ઘરે ગઈ હતી. ગઈકાલે સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. […]