Gujarat

RMCએ ચૂંટણી પહેલા 5 ટાઉનશીપની 52 દુકાન વેચવા કાઢી

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. માર્ચ મહિનાના અંત સુધી આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે, ત્યારે પણ મનપાનાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાંચ ટાઉનશીપની ખાલી પડેલી 52 દુકાનોની હરાજી કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આવક વધારવાના હેતુથી આ આવાસ યોજનાઓની દુકાનો વેચવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી […]

Gujarat

સીસીટીવી આધારે કારની ઓળખ કરી ઘરફોડિયાને દિલ્હીથી કાર સાથે દબોચ્યો

મહેસાણાની કૃષ્ણનગર સોસાયટીમાં ત્રણ મહિના પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે. પોલીસે CCTV ફૂટેજ આધારે કારની ઓળખ કરી છેક દિલ્હીથી એક આરોપીને કાર સાથે દબોચી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તસ્કરોએ પોલીસને ગુમરાહ કરવા કારની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. ગત 6 નવેમ્બર 2025ના રોજ મહેસાણા શહેરની કૃષ્ણનગર સોસાયટીના […]

Gujarat

ખેરાલુમાં અબોલ પશુઓ પર એસિડ એટેકની ઘટના

ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓ પર થઈ રહેલા જીવલેણ એસિડ હુમલાઓએ માનવતાને શરમાવી દીધી છે. ટૂંકા ગાળામાં સતત બની રહેલી આ ઘટનાઓને પગલે સમગ્ર નગરમાં જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અમાનવીય કૃત્યો આચરનારા તત્વોને પકડવા અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નગરજનો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ […]

Gujarat

નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, આરોપીની ધરપકડ

અમદાવાદના નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. જ્યારે બીજા બનાવમાં નારણપુરામાં ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ત્રીજા બનાવમાં એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બેનાં મોત થયા છે. નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય,આરોપીની ધરપકડ નારણપુરા રહેતી 57 વર્ષીય મહિલા કચરા પોતાનું કામ કરે છે. તેમની 30 […]

Gujarat

સુરતના ગજેરા બંધુઓના કેસમાં હાઈકોર્ટે FIR રદ કરવાની માંગ ફગાવી

સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી તથા દસ્તાવેજોમાં છેડછાડ મામલે હાઇકોર્ટે અરજદારોની FIR રદ કરવાની માંગણીને ફગાવી દઈ પોલીસ તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે આ તર્કને માન્ય રાખ્યો નથી સુરતના DCB પોલીસ સ્ટેશનમાં 22, ફેબ્રુઆરી 2026ના રોજ નોંધાયેલી આ ફરિયાદમાં અરજદારો પર 1,900 કરોડ રૂપિયાની નાણાકીય […]

Gujarat

લાલપુરના અપીયા ગામે કરા સાથે વરસાદ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે સાંજે લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. લાલપુર તાલુકાના અપીયા, રાફુદળ, વિંજપરા, ગોદારી અને ટીમડા સહિતના ગામોમાં આકાશ એકાએક વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદી ઝાપટાં શરૂ થયા […]

Gujarat

જામનગરમાં વહીવટદાર રાજનો પ્રારંભ – આરતી કંવરે મનપાનો ચાર્જ સંભાળ્યો

જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે આરતી કંવરની નિમણૂક કરી છે, જેમણે આજે જામનગર આવીને વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ વહીવટદાર આરતી કંવરે મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ […]

Gujarat

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટની સ્થિતિમાં પણ દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિમાં ગાફેલ ન રહેવાય. આ ખાસ ડ્રાઈવનું આયોજન ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં […]

Gujarat

ઊના, ગીરગઢડામાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની અછત ઉભી થઇ

ઊના, ગીરગઢડા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ઉનાળો બેસતાં ની સાથે પાણી અછત જોવા મળી રહી છે. રાવલ જુથ અને મચ્છુ નદી ડેમ જુથ યોજના હેઠળ પુરતાં પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું કરવાં ની માંગણી સાથે ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની આગેવાની હેઠળ પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી […]

Gujarat

રાષ્ટ્રપતિએ અક્ષયપાત્રનું 5 અબજમું ભોજન પીરસ્યું

અક્ષયપાત્ર ફાઉન્ડેશને રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે 5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિ અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે અને માનનીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અક્ષયપાત્રના સ્થાપકો – મધુ પંડિત દાસા (ઇસ્કોન બેંગ્લોરના અધ્યક્ષ […]