Gujarat

પાટણમાં હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર

પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે, બુકડી વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ સંયુક્ત ડિમોલિશન કામગીરી પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરવામાં આવી છે. ખોખરો તરીકે ઓળખાતા […]

Gujarat

પાટણમાં ₹1.25 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન-બોરવેલ

પાટણ નગરપાલિકા દ્વારા ₹124.97 લાખના અંદાજિત ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન અને બોરવેલના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો 15મા નાણાં પંચની વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવ્યા છે. શહેરના કુલ 19 વિસ્તારોમાં પાણીની સુવિધા સુદ્રઢ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 17 જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવશે. વધુમાં, પાણીની […]

Gujarat

જય ગોગા ગ્રુપ દ્વારા 500 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જય ગોગા ગ્રુપ નહેરુ ચોકડી દહેગામ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું હતું. ધોરણ 5 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. દહેગામ તાલુકા રબારી […]

Gujarat

વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના સહિત 2.07 લાખની મત્તા સેરવી પલાયન

ગાંધીનગર જિલ્લાના કલોલના 72 વર્ષીય વૃદ્ધાને મંઝિલ સુધી પહોંચાડવાના બહાને રીક્ષામાં બેસાડીને નજર ચૂકવી રિક્ષામાં સવાર ગેંગ સોનાના દાગીના – રોકડ રકમ મળીને કુલ રૂ.2.07 લાખની મત્તા તફડાવી ફરાર થઈ જતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડાથી રિક્ષામાં બેઠા ને અડાલજમાં ઉતારી દીધા કલોલની આઝાદનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય કોકિલાબેન […]

Gujarat

દરિયાઈ વિસ્તારોમાં શંકાસ્પદ બોટોનું ચેકિંગ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણને પગલે ભારતીય દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ અને અભેદ્ય બનાવવી અતિ આવશ્યક છે. સામાન્ય રીતે કોઈપણ આતંકવાદી ઘટના સમયે કે તેના તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો હોઈ ખૂબ જ કટોકટીપૂર્ણ હોય છે. પરંતુ, સુરક્ષા નિષ્ણાતોના મતે આ બંને ગાળાઓ કરતાં પણ વધુ મહત્વનો સમય હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ […]

Gujarat

જામનગરના ત્રિકમરાયજી મંદિરે 551 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ

જામનગરના આણંદબાવા ચકલા સ્થિત પ્રાચીન શ્રી ત્રિકમરાયજી મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 551 દીવડાઓની દિવ્ય મહાઆરતી અને શ્રીસૂક્તમ-પુરુષસૂક્તમના 551 પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ત્રિકમરાયજીના પૂજન-અર્ચનથી થઈ હતી. જ્ઞાતિના મહિલા અને પુરુષ સભ્યો દ્વારા સામૂહિક રીતે શ્રીસૂક્તમ અને પુરુષસૂક્તમના કુલ 551 પાઠનું પઠન કરાયું […]

Gujarat

જામનગરમાં 14 વર્ષીય તરુણીનું હાર્ટ એટેકથી નિધન

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ હતી. મળતી માહિતી મુજબ, આનંદી પુરુષોત્તમ માસના પ્રસંગે રાજકોટમાં તેના મામાના ઘરે ગઈ હતી. ગઈકાલે સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. […]

Gujarat

જામનગરમાં 3 વર્ષના બાળકનું મોત

જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા સાત નાલા મહાદેવ નગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં માયાભાઈ શધીયા (ગઢવી) નો ત્રણ વર્ષનો પુત્ર જયવીર ઘર પાસે રમતા રમતા અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયો હતો. બાળક પાણીમાં પડ્યાની જાણ થતાં જ તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ ટૂંકી […]

Gujarat

રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અભિનેતા વિક્રાંત મેસી સાથે દેશવ્યાપી વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું

રાષ્ટ્રીય રાજધાનીમાં માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પ્રખ્યાત અભિનેતા વિક્રાંત મેસી, વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા બોક્સર નૂપુર શિયોરાન અને પ્રખ્યાત કન્નડ અભિનેત્રી રાગિણી દ્વિવેદી સાથે દેશવ્યાપી વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કર્યું હોવાથી પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવી દિલ્હીમાં ૧૫,૦૦૦ થી વધુ ફિટનેસ ઉત્સાહીઓએ સાયકલ ચલાવી હતી […]

Gujarat

પંચાયતી રાજ મંત્રાલય ૯ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આર્ત્મનિભર પંચાયત કાર્યક્રમ પર આઉટરીચ વર્કશોપનું આયોજન કરશે

ગુજરાતભરની પાત્ર ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાેડીને આ વર્કશોપ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવશે ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય ૯ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આર્ત્મનિભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરી રહ્યું છે. આ વર્કશોપ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ; પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત […]